• Wed. Mar 11th, 2026

UP LIVE 24X7

India #1 News Platform

અમદાવાદ પ્લેન ક્રેશમાં સોજીત્રાના નીલકંઠ પટેલનું દુઃખદ અવસાન: ભાઈના અંતિમ સંસ્કાર માટે જઈ રહ્યા હતા લંડન

Spread the love

આણંદ/સોજીત્રા, તા. ૧૮ જૂન –
હાલમાં થયેલી દુર્ઘટનાગ્રસ્ત અમદાવાદ વિમાન દુર્ઘટનામાં સોજીત્રાના નિવાસી શ્રી નીલકંઠભાઈ ચંદુભાઈ પટેલનું દુઃખદ અવસાન થયું છે. તેઓ પોતાના ભાઈના અંતિમ સંસ્કાર માટે લંડન જઈ રહ્યા હતા, ત્યારે આ દુર્ભાગ્યપૂર્ણ વિમાન દુર્ઘટનામાં જીવ ગુમાવ્યા હતા.



દેહની ઓળખ અને ડીએનએ પ્રક્રિયા પૂર્ણ થતાં તેમનો નશ્વર દેહ એમ્બ્યુલન્સ દ્વારા તેમના વતન સોજીત્રા લાવવામાં આવ્યો હતો. આ પ્રસંગે આણંદના સાંસદ મિતેશભાઈ પટેલ તેમજ સ્થાનિક વહીવટીતંત્રના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા અને પરિવારજનોને સાંત્વના આપી હતી.

ગામમાં તેમનો દેહ પહોંચતાં શોકનું ભારે મોજું ફરી વળ્યું હતું. પરિવારજનો અને ગ્રામજનો ભારે આક્રંદ સાથે અંતિમ વિદાય આપી રહ્યા હતા. ગામના નાગરિકોએ પણ શ્રદ્ધાંજલિ પાઠવી અંતિમ દર્શન કર્યા હતા.

વિમાને સવાર અનેક મુસાફરોના જીવ ગયેલા હોવાના કારણે સમગ્ર પ્રદેશમાં શોકનું માહોલ જોવા મળ્યો છે. શાસન તંત્ર તરફથી તમામ જરૂરિયાતો માટે સહાયની કામગીરી ચાલુ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *